







નગાવલાડીયા સેવા સહકારી મંડળી દ્વારા ન્યુટ્રીશન અભિયાન અંતર્ગત આંગણવાડીના માધ્યમથી બાળકોને ન્યુટ્રીશન ફૂડનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં સરપંચ શ્રી દેવઈબેન કાનગડ, સમિતિના સભ્ય શ્રી લીલાવતીબેન અબોટી, આંગણવાડીના શિક્ષક શ્રી શિલ્પાબેન ગોર તથા બાળકોના વાલી હાજર રહ્યા હતા. બાળકોને સીંગદાના અને તલની ચીક્કી આપવામાં આવી હતી.
