










માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વસ્થ ભારત મિશન ને સાકાર કરવા દેવપર યક્ષ ગામના યુવા સરપંચશ્રી કસ્તુરબેન વિરેન્દ્રભાઈ ગરવા દ્વારા ભીખુૠષિ પર્વત પર દેવપર ગામની બહેનો તેમજ મહિલા સરપંચશ્રીઓ માટે ટ્રેકિંગ કેમ્પ નુ આયોજન કરવામા આવ્યુ હતું. જેમાં નગાવલાડીયાના સરપંચશ્રી દેવઈબેન કાનગડ અતિથી તરીકે આમંત્રિત હતા. ગામના વિકાસમા મહિલાઓની સક્રિય ભાગીદારી અંગે ખુલ્લા મંચ પર ચર્ચા કરવામાં આવી હતી દેવઈબેન દ્વારા મહિલા સશક્તિકરણ વિશેની પ્રવૃતિઓ જણાવી જોડાયેલ મહિલાઓને પ્રેરણા પૂરી પાડી હતી.
