








“નગા વલાડીયા ગામમાં આનંદોત્સવ”
મેઘરાજાના આગમન અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી નગા વલાડીયા ગામના તળાવ ઓગની જતા સરપંચ શ્રી દેવઈબેન અરજણ ભાઈ કાનગડ તથા સર્વે ગ્રામજનો દ્વારા તળાવને વધાવવામાં આવ્યા. આખા ગામમાં દરેક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નગા વલાડીયા ગામમાં મોટા ભાગના લોકોનો વ્યવસાય ખેતી અને પશુપાલન છે તેથી આખા વર્ષ દરમ્યાન ખેતી અને પશુપાલન માટે તળાવના પાણી ખૂબ જ ઉપયોગી થઈ રહેશે.એ ખુશીથી ગામના લોકો જૂમી ઉઠ્યા હતા.
