














નગાવલાડીયા ગ્રામ પંચાયતના સહયોગથી ગૌશાળા વેબ્રીજનો ઉદ્ધઘાટન સમારોહ યોજાયો જેમાં સરપંચશ્રી દેવઈબેન કાનગડ તથા સમસ્ત ગ્રામજનો ખુબ જ ખુશી સાથે જોડાયા હતા. નગાવાલાડીયા તથા આસપાસના વિસ્તારોમાં મોટાભાગે ખેતી અને પશુપાલન સાથે જોડાયેલ લોકો છે. આથી તેમને પોતાના માલસામાનના વજન માટે ખુબ ઉપયોગી થઇ રહેશે તથા ગૌશાળા વેબ્રીજ હોવાથી વેબ્રીજમાં થયેલ આવકનો ઉપયોગ ગાયોના હિતાર્થે થશે.
