



























નગા વલાડીયા આંગણવાડી કેન્દ્રમાં પોષણ માસ દરમિયાન સુપોષણ દિવસની ઉજવણી કરવામાં આવેલ જેમાં સગર્ભા માતા નો શ્રીમંત પ્રસંગ પૌષ્ટિક કીટ દ્વારા કરવા મા આવેલ
સરપંચ શ્રી દેવઈબેન કાનગડના નેતૃત્વ હેઠળ આંગણવાડી માં સુપોષણ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ડીલેવરી હોસ્પિટલ મા કરાવા અને ગરથુથી ના આપવા તેમજ બાળકના જન્મના શરૂવાતના એક કલાકની અંદર સ્તનપાન કરવા અને 6 મહિના સુધી બાળકને માત્ર માતાનું જ દૂધ આપવા વિશે વિસ્તુત માહિતી આપેલ, તેમજ પોષ્ટિક તાજો ખોરાક રોજિંદા જીવનમા ઉપયોગ લેવો, બાળકોને પણ ઘરે બનાવેલ ખોરાક આપવા અને પેકેટના ખાવામા ઉપયોગમા નહી લેવા ખાસ માર્ગદર્શન આપેલ તેમજ આંગણવાડી માંથી મળતા બાળશક્તિ, માતૃશક્તિ,માતૃશક્તિ શરીર મા દરોજ જરૂરી સૂક્ષ્મ પોષક તત્વોથી ભરપૂર છે તેનો ખાસ ઉપયોગ કરવાની સમજ આપેલ.
