Panchayat with Good Governance

DEDICATED TO NATION – 2024

એડવાન્સ વિલેજના એડવાન્સ ગ્રામ પંચાયતનું લોકાર્પણ અંજાર તાલુકાના નગાવલાડીયા ગામમાં તારીખ ૨૫/૦૨/૨૦૨૪ રવિવારના શુભ દિવસે નવનિર્મિત પંચાયત ઘરના લોકાર્પણ સાથે સમગ્ર નગાવલાડીયા ગામમાં CCTV કેમેરાનું લોકાર્પણ, તથા નગાવલાડીયાની નવી વેબસાઇટનું લોન્ચિંગ અને પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર રૂમના ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આહીર સોલ્ટ એન્ડ એલાઇડ પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ તથા નીલકંઠ ઇન્ફ્રાટેક પ્રાઇવેટ લિમિટેડના CSR ફંડમાંથી નવું …

DEDICATED TO NATION – 2024 Read More »

ફરતું પશુ દવાખાનું (એમ્બ્યુલન્સ ) 1962

અબોલા જીવ માટે સેવા પ્રવૃતિ પશુ એમ્બ્યુલેન્સ 1962 નું નવું કલસ્ટર શરૂ કરાવતા હર્ષની લાગણી  વિધાન સભાની રૂબરૂ મુલાકાત લઈ મુખ્યમંત્રી ,કૃષિમંત્રી,ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા તથા કચ્છના તમામ ધારાસભ્યો તેમજ શંભુભાઈ રાધુભાઈ મ્યાત્રા (અંજાર તાલુકા ભાજપ પ્રમુખ)નગાવલાડીયા વિસ્તારના આઠ ગામોમાં નગાવલાડીયા,બીટા વલાડીયા,વીરા,સંઘડ,માથક,તુણાં,રામપર અને કુંભારિયામાં પશુ એમ્બ્યુલેન્સ માટે સાથે મળી રજૂઆત કરી અને સરકારશ્રી દ્વારા તે માંગણી …

ફરતું પશુ દવાખાનું (એમ્બ્યુલન્સ ) 1962 Read More »

વિધાનસભા મુલાકાત

મહિલાઓને ગાંધીનગર વિધાનસભાની મુલાકાત  મહિલા સશક્તિકરણ અને મહિલા જાગૃતિ માટે ગામની મહિલાઓને ગાંધીનગર વિધાનસભાની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું. અને વિધાનસભાના અધ્યક્ષશ્રી, મુખ્યમંત્રીશ્રી તેમજ મંત્રીશ્રી સાથે મુલાકાત કરાવવામાં આવી હતી. દરેક મહિલાઓએ વિધાનસભાની જીવંત કાર્યવાહી નિહાળી હતી.

૨૫ વર્ષથી થતાં સમૂહલગ્નનું સફળ આયોજન

25 વર્ષથી થતાં સમૂહ લગ્નનું સફળ આયોજન  ગામમાં 25 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન થાય છે. સરપંચશ્રી દ્વારા ગ્રામજનોને સમૂહ લગ્નનું સંપૂર્ણ ખર્ચ આપવામાં આવે છે. તથા સરકારના નિયમોનું પાલન કરવામાં આવે છે.અને દરેક સમૂહ લગ્નનું 100% રજીસ્ટ્રેશન કરાવવામાં આવે છે.

મધ્યાહન ભોજન

મધ્યાહન ભોજન આંગણવાડી તથા શાળામાં અભ્યાસ કરતા બાળકોના શારીરિક વિકાસ બાબતે યોગ્ય ખોરાક મળી રહે તે માટે મધ્યાહન ભોજનની સુવિધા સરકારની ગાઈડ લાઇન મુજબ ચાલુ છે.અને તેમાં સમયાંતરે સરપંચશ્રી દ્વારા મુલાકાત લેવામાં આવે છે.

હરિયાળી ક્રાંતિ

મનુષ્યની જેમ ફળનો પણ વંશવેલો સાચવવાનો પ્રયત્ન અંજાર તાલુકાના શ્રી નગા વલાડિયા ગામના સરપંચ શ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડ દ્વારા તારીખ 16/07/2022 ના સવારે વૃક્ષારોપણ માટે ગામના લોકોમાં છાંયો આપતા ઝાડ તેમજ ફળના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ દરમિયાન શ્રી દેવઈબેનનો મુખ્ય ઉદેશ્ય એ હતો કે છાંયો આપતા વૃક્ષોનું વાવેતર તો બધા કરે છે પણ …

હરિયાળી ક્રાંતિ Read More »

જળક્રાંતિ પ્રોજેક્ટ

જલક્રાંતિ પ્રોજેક્ટ 1] વોટર શેડ સ્કીમ અંતર્ગત ગામની તમામ તલાવળીયો ઊંડી કરી પાણી સંગ્રહ શક્તિ વધારી જેના કારણે શિયાળુ પાક લઈ શકાય છે. 2] વરસાદના પાણીને ભૂગર્ભમાં ઉતારવા (2) બે બોર બનાવવામાં આવ્યા છે. 3] ગ્રામજનો માટે RO પ્લાન્ટની સુવિધા રાખવામાં આવી છે. 4] ઘર ઘર નળ યોજનામાં 100% કામ થયેલ છે.

નગાવલાડીયા ગ્રામ પંચાયત

કચ્છ જિલ્લા અંજાર તાલુકાની દક્ષિણ બાજુએ સમુદ્ર તટે આવેલું નગાવલાડીયા ગામ 1500 વસ્તી ધરાવે છે. નગાવલાડીયા ગામના અક્ષાંશ 23.3, રેખાંશ 72.63 છે. મુખ્યત્વે આહિર,દલિત,રાવલ,ગૌસ્વામી,સુથાર,મુસ્લિમની વસ્તી ધરાવતા ગામમાં 95% વસ્તી આહિર બક્ષીપંચ (OBC)ની છે.ખેતી,પશુપાલન અને વાહન ચાલકના વ્યવસાય સાથે જોડાયેલા આ ગામમાં વરસાદ આધારીત ખેતી થાય છે. મુન્દ્રા પોર્ટથી 35 કિ.મી. તેમજ કંડલા પોર્ટથી 45 કિ.મી. …

નગાવલાડીયા ગ્રામ પંચાયત Read More »