






“રકતદાન એ મહાદાન મહાદાન થી જીવનદાન”
ગામમાં રકતદાન બાબતે ગેરસમજમાંથી બહાર નીકળી અને રકતદાનને પ્રેરણા આપતો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં ગામના યુવાનો તથા મહિલાઓ જોડાયા હતા. દર ત્રણ મહિને આપણે રકતદાન કરવું જોઈએ જેથી આપણાં શરીરમાં નવું લોહી બને અને ભવિષ્યમાં આવનારી બીમારીઓ સામે આપણે રક્ષણ મેળવી શકીએ. તથા જો કોઈ પણ વ્યક્તિને જરૂરિયાત સમયે આપણું લોહી કામ આવે તો એ ખૂબ સારી બાબત કહેવાય. અને એક નાગરિક તરીકેની આપણી ફરજ પણ છે.
