














નવી શિક્ષણનીતિ મુજબ બાળકોનો કૌશલ્ય વિકાસ
ગામના શાળામાં ભણતા વિધ્યાર્થીઓ માટે વ્યવસાય અંગે પ્રેરણા મળે તે ઉદેશ્યથી ગામમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આનંદ મેળામાં બાળકોએ પોતે જ અલગ અલગ વસ્તુઓના સ્ટોલ લગાવ્યા હતા અને વેચાણ કર્યું તથા આવક પ્રાપ્ત કરી હતી. આજુબાજુના પાંચ ગામની શાળાના બાળકો તેમાં જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા નવી શિક્ષણનીતિ મુજબ અભ્યાસની સાથે સ્કિલ ડેવલોપમેન્ટની પહેલ નગા વલાડીયામાં બાળકો માટે કરવામાં આવી.
